ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિન બોલર આર અશ્વિન બાંગ્લાદેશ સામે રમાયેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. શ્રેણીની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરથી રમાશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરથી રમાશે. ચેન્નાઈમાં આ મેચ માટે બંને ટીમો સખત મહેનત કરી રહી છે. પ્રથમ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચમાં બધાની નજર ચેન્નાઈના લોકલ બોય આર અશ્વિન પર રહેશે. અશ્વિન બાંગ્લાદેશ સામેની ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં હશે તે લગભગ નિશ્ચિત છે. કારણ કે હોમ ગ્રાઉન્ડ પર અશ્વિનનો રેકોર્ડ ઘણો જ શાનદાર રહ્યો છે. તેની કારકિર્દીમાં રમાયેલી 100 ટેસ્ટ મેચોમાંથી તેણે ભારતમાં 60 ટેસ્ટ મેચ રમી છે. આ ફોર્મેટમાં તેની 516 વિકેટોમાંથી 363 વિકેટો અશ્વિન આ મહાન રેકોર્ડની નજીક છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની શરૂઆતથી જ અશ્વિન ભારતમાં દરેક ટેસ્ટ મેચ રમ્યો છે અને સંજોગોને કારણે તે વિદેશમાં બહુ ઓછી મેચો રમી શક્યો છે, પરંતુ હોમ ગ્રાઉન્ડ પર તેનો રેકોર્ડ એટલો શાનદાર રહ્યો છે કે ઑફ- સ્પિનર ડબલ્યુટીસીના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારાઓમાંનો એક બની ગયો છે. અશ્વિને અત્યાર સુધી 35 ટેસ્ટ (67 ઇનિંગ્સ)માં 20.43ની એવરેજથી 174 વિકેટ ઝડપી છે. ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન કમિન્સે તેના કરતા માત્ર એક વિકેટ વધુ લીધી છે જ્યારે લિયોન 187 વિકેટ સાથે ટોચ પર છે. અશ્વિનને WTC ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનવા માટે 14 વિકેટની જરૂર છે અને ઘરઆંગણે તેના રેકોર્ડને જોતા એવું કહી શકાય કે તે બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં આવું કરશે.
અશ્વિન આ રેકોર્ડ હાંસલ કરવા માંગશે
વધુમાં, તેની પાસે વર્તમાન WTC ચક્રમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનવાની પણ તક છે અને તેને આમ કરવા માટે માત્ર 10 વિકેટની જરૂર છે. અશ્વિન આ ચક્રમાં રમાયેલી આઠ ટેસ્ટ મેચોમાં 42 વિકેટ સાથે છઠ્ઠા સ્થાને છે, જ્યારે જોશ હેઝલવુડ 11 ટેસ્ટ મેચમાં 51 વિકેટ સાથે ટોચ પર છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘરઆંગણે સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડીઓની યાદીમાં અશ્વિન અનિલ કુંબલેને પાછળ છોડી દેવાની નજીક છે. ચેન્નાઈમાં જન્મેલા આ ક્રિકેટરે ઘરઆંગણે તમામ ફોર્મેટમાં 455 વિકેટો લીધી છે અને કુંબલે કરતાં માત્ર 22 વિકેટ પાછળ છે, જેમણે પોતાની શાનદાર કારકિર્દી દરમિયાન ઘરઆંગણે 476 વિકેટો લીધી હતી.