અમદાવાદ એરપોર્ટ નજીક તંદૂર હોટલમાંથી 22 વર્ષીય નસરીન બાનુનો મૃતદેહ મળી આવતા હંગામો મચી ગયો હતો. છોકરીનો મૃતદેહ મળ્યા બાદથી પોલીસને હત્યાની શંકા હતી. આ કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી હતી. આ કેસ અંગે, ક્રાઈમ બ્રાન્ચે હોટલના તમામ સીસીટીવી સ્કેન કર્યા અને નસરીનના હત્યારાની ઓળખ કરી. હાલમાં પોલીસે આ કેસમાં શંકાના આધારે ચિંતન વાઘેલા નામના યુવકની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ કરી રહી છે.
ક્રાઈમ બ્રાન્ચને તેની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ચિંતન વાઘેલા નામનો એક યુવક નસરીન બાનુ સાથે રૂમમાં ગયો હતો. આ પછી તે યુવક ત્યાંથી એકલો જતો રહ્યો. એવું લાગે છે કે ત્યારથી કોઈ રૂમમાં પ્રવેશ્યું નથી. નસરીન પાછળથી મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસનું માનવું છે કે ચિંતને નસરીન બાનુનું ગળું દબાવીને હત્યા કરી છે. બાદમાં જ્યારે ખબર પડી કે તે આણંદ તરફ ભાગી ગયો છે, ત્યારે પોલીસે તરત જ તેને પકડી લીધો. પોલીસે હવે આરોપીની ધરપકડ કરી લીધી છે અને આ મામલાની વધુ તપાસ કરી રહી છે.
શું હતી આખી ઘટના?
મૂળ ઉત્તર પ્રદેશના કાઝીપુર સંત કબીર નગરના અને હાલમાં રામોલ મદનીના રહેવાસી 23 વર્ષીય નસરીનબાનુ ફિરોઝ અખ્તરભાઈ અમદાવાદ એરપોર્ટ પર ફૂટ કોર્ટમાં કામ કરતા હતા. રવિવારે (૧૬ માર્ચ) બપોરે, એરપોર્ટ પોલીસને માહિતી મળી કે તેનો મૃતદેહ એરપોર્ટ નજીક હાસોલ ચોકીની સામે આવેલી હોટેલ તંદૂરના એક રૂમમાંથી મળી આવ્યો છે. ઘટનાની માહિતી મળતાં જ એરપોર્ટ પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોટલ પર પહોંચ્યા હતા અને હોટલના સીસીટીવી ફૂટેજ અને એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.